كود الاستجابة السريعة
أفاتار જીતેન્દ્રસિંહ ચૌહાણ

જીતેન્દ્રસિંહ ચૌહાણ

http://shrinathjidada.wordpress.com/

મારૂ નામ જીતેન્દ્રસિંહ રતુભા ચૌહાણ છે. સૌ મિત્રોને મારા જય સીતારામ...જય માતાજી... હું રાજકોટ શહેરમાં રહું છું. મને નાનપણથી જ ધાર્મિક, ઈતિહાસ અને સાહિત્યનો શોખ છે. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકામાં આવેલી શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધારનો હું સેવક છું. દાણીધારની જગ્યામાં પરંપરાગત ઉજવાતા પ્રંસંગોએ હું નિયમીત જાઉ છું. જગ્યાનાં વિકાસમાં મહત્વની ભુમિકા ભજવનાર મહંત પ.પુ.સંતશ્રી ઉપવાસીબાપુનાં જીવનથી પ્રેરાઈને મને પણ નિ:સ્વાર્થ ભકિતી કરવાની તલપ લાગી. પરંતુ સમય આવ્યે જ દરેકનાં જીવનમાં વળાંક આવતા હોય છે. ગુરૂકૃપાથી હાલમાં હું સીતારામ ટ્રેડીંગ કંપની ચલાવી રહ્યો છું. સૌ મિત્રોને એક વિનંતી છે કે, દાણીધારમાં ઉજવાતા દરેક પ્રંસંગોએ આવીને ધર્મનો લાભ લેશો. જયાં રહેવા જમવાની તમામ સુવીધાઓ ઉપલબ્ધ છે. સૌ ભકતજનો ને મારા જય સીતારામ....... http://shrinathjidada.wordpress.com/